GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબી જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ આજરોજ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી આ સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા.

જિલ્લાના ધાર્મિક સ્થળો હાથ ધરાયેલા સફાઈ અભિયાન અન્વયે મોરબી જિલ્લાના ટંકારા ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થાને, ટંકારા તાલુકાના રાજાવડ ગામના ડેમી-૨ ડેમની બાજુમાં આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર, વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર, લૂંટાવદર ગામે આવેલ મંદિર, જેપૂર ગામે આવેલ મંદિર સહિત જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ મંદિર પરિસર તેમજ તેની આજુબાજુમાં સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


આ મંદિરોએ ટ્રસ્ટ, સંસ્થાઓ સ્થાનિક રહેવાસીઓ તેમજ દર્શનાર્થીઓ દ્વારા સયુંકત રીતે સાફ સફાઈ કરવામાં આવી હતી.સૌએ એકજૂથ બની મંદિર, મંદિર પરિસર, બગીચા અને મંદિરના આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!