સત્યનારાયણની કથાના બહાને આવેલા મહારાજે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ
નિકોલમાં પરિચીત મહારાજ પાસે આવતા સપ્તાહમાં કથા કરાવવાનું નક્કી થયું હતું, જેથી મહિલા ગઇકાલે સાંજે ઘરે એકલી હતી ત્યારે મહારાજ કથાના પુજાપાના સામાન લાવવાનું લિસ્ટ આપવાના બહાને આવ્યા હતા. મહિલા બેડરુમમાં વોશરુમમાં ગઇ હતી. આ સમયે મકાનનો દરવાજો બંધ કરીને મહારાજે બેડરુમમાં જઇને મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચયું હતું અને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કેે નિકોલ વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેેશનમાં કથા કરનારા મહારાજ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના નવા ઘરે સત્યનારાયણની કથા કરાવવાની હતી તથા મંગળ ગ્રહ નડતો હોવાથી તેની વિધી માટે અને દિકરાના જન્માક્ષર બનાવવાના હોવાથી તેમના પરિચીત મહારાજને બે દિવસ પહેલા ઘરે બોલાવ્યો હતા.
મહારાજ ગઇકાલે ફોન કરીને કાલુપુર વિસ્તારમાં આવ્યો હોવાનું કહીને કથાના સામાનનું લિસ્ટ આપવાની વાત કરીને શનિવારે સાંજે મહિલાના ઘરે ગયા હતા, મહિલાએ વિદેશ જવાની વાત કરીને તેની વિધિ કરાવવા તથા કથા અંગે વાતચીત કરી હતી મહારાજ બે કલાક સુધી ઘરે રોકાયા હતા.જોે કે મહિલા એકલી ઘરે હતી અને મહિલા બેડરુમમાં વોશરુમમાં ગઇ હતી આ સમયે મહારાજે એકલાતાનો લાભ લઇને મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બેડરુમમાં જઇને મહિલાને પકડીને તેણીની સાથે મહારાજે બેડરુમમાં જઇને મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચયું હતું અને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.