આણંદ વિધાનગર રોજગાર ભરતી મેળામાં 106 ઉમેદવારમાંથી 50ની પસંદગી
તાહિર મેમણ : 16/01/2024 – આણંદ – જિલ્લા રોજગાર કચેરી, આણંદ અને સરકારી આઈ.ટી.આઈ., સોજીત્રાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગરની નલીની આર્ટસ કોલેજની સામે આવેલ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાનગર ખાતે ટેલિકોલિંગ એક્ઝિક્યુટિવ, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, એન્જિનિયર, હેલ્પર, કસ્ટમર સર્વિસ, બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, એપ્રેન્ટિશિપ મિકેનિક અને ડ્રાફ્ટમેન, એપ્રેન્ટિશિપ ફીટર વેલ્ડર અને કોમ્પ્યુટર ઓપરેટર, પેકર, સેલ્સમેન, સ્ટાફ નર્સ અને રિસેપ્શન પર્સન વર્કર અને હેલ્પર, અકાઉન્ટન્ટ, ટેકનીશીયન, ઈન્સ્યોરન્સ એડવાઇઝર, એક્ઝિક્યુટિવ એપ્રેન્ટિશિપ ઈલેક્ટ્રિશિયન જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓના ૧૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી ૫૦ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.