ANANDANAND CITY / TALUKO

મંત્રી કુંવરજી બાવળીયાએ આણંદ અને ખેડા જિલ્લાની મુલાકાત લીધી

તાહિર મેમણ : આણંદ, 22/09/2023 – : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે આણંદ અને ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મંત્રીશ્રીએ માતર તાલુકાના લીંબાસી બ્રાન્ચ કેનાલની અને પરીએજ તળાવની મુલાકાત લીધા બાદ કનેવાલ અને પરીએજ વોટરલાઇન વચ્ચેના જંક્શન પોઇન્ટનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ આ જળ સ્ત્રોતોમાંથી લોકોને મળતાં પીવાના અને સિંચાઈના પાણી અંગેની જરૂરી વિગતો સંબંધીત અધિકારીઓ પાસેથી મેળવી હતી.

મંત્રીએ કનેવાલ અને પરીએજ તળાવોના પાણી સંગ્રહને કેવી રીતે વધારી શકાય અને આગામી સમયમાં પીવાના તેમજ સિંચાઇ માટેના પાણીના પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય અને લોકોને પાણી સરળતાથી પહોંચાડી શકાય તે માટેના જરૂરી પગલાઓ પૂર્વેની સ્થિતિ નિરિક્ષણના ઉદ્દેશ્ય સાથે આજે આ મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!