સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી. સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જે સી ઈલાસરિયા, ઉપપ્રમુખશ્રીઓ હીરાભાઈ એમ પરમાર અને હરિભાઈ ડી મગરવાડીયા તથા ઓડિટર શ્રી નરસિંહભાઈ ડી વણસોલા કારોબારી સદસ્યશ્રીઓ શ્રી દુધાભાઈ એન પરમાર,શ્રી ગીરીશભાઈ સાણોદરિયા શ્રી ગમાનભાઈ બેચરભાઈ પરમાર શ્રી અશોકભાઈ આર પરમાર તથા શ્રી સુરેશકુમાર એમ પરમાર તથા ડૉ. બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિના સભ્યો શ્રી હરેશકુમાર એમ વણસોલા,શ્રી સુરેશકુમાર ડી પરમાર તથા સમતા વિદ્યાવિહારના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા સમતા કુમાર છાત્રાલયના છાત્રોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બુદ્ધવંદનામાં ભાગ લીધો હતો તથા આજના પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,ઉપપ્રમુખશ્રી હરિભાઈ ડી મગરવાડીયા તથા સુરેશભાઈ એમ પરમારે ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન અને કવન વિશે પ્રસંગિક પ્રવચન કર્યું હતું