સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના બાળકોને જીવન તીથૅ એનજીઓ દ્વારા માઈન્ડ એક્ટિંગ ગેમ્સ રમાડવામાં આવી.
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોને જીવન તીર્થ એનજીઓના માર્ગદર્શકશ્રી અબ્દુલભાઈ અંસારી દ્વારા માઈન્ડ એક્ટિંગ ગેમ્સ રમાડવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનોએ આ પ્રવૃત્તિમાં ખૂબ જ સારો સહકાર આપ્યો હતો .
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે જીવન તીર્થ એનજીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને તેમની આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.