BANASKANTHAPALANPUR

પાલનપુર મુકામે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 1000 ચકલી ઘર અને 1000 પાણી ના કુંડા નું મફત વિતરણ કરવા માં આવ્યું 

4 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર શહેર ના ગુરુનાનક ચોક બનાસ ગોળાઈ ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 1000 કુંડા અને 1000 ચકલી ઘર નું વિતરણ કરવા મા આવ્યું હતું  આ કાર્યક્મ માં ડી.વાય.એસ.પી ગામીત સાહેબ શ્રી અને દિનેશભાઇ પંચાલ ના વરદ હસ્તે પાણી ના કુંડા અને ચકલી ઘર ના સેવા કેમ્પ ને ખુલ્લો મુકવા માં આવ્યો હતો રવિવારે વડગામ મુકામે 3000 ચકલી ઘર અને 3000 પાણી ના કુંડા નું મફત વિતરણ કરવા માં આવ્યું હતું આ સિવાય ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષે માં 1200 બ્લડ બોટલ ની આખા ગુજરાત માં દર્દીઓ ને નિસ્વાર્થ મદદ કરી. વડગામ પંથક માં લગ્ન અને શુભ પ્રસંગે ભોજન વધે તેનો બગાડ ના થાય તે ઉદ્દેશય થી જરૂરિયાત મંદ સુધી પહોંચાડવા માં આવે છે. દિવાળી પર 4 તાલુકા માં 1500 થી વધુ જરૂરિયાત મંદ પરિવાર ને મીઠાઈ અને ફરસાણ આપવા માં આવે છે ભાદરવી પૂનમ નો સેવા કેમ્પ, જરૂરિયાત મંદ બાળકો ને પુસ્તક ચંપલ, ઉનાળા માં ઠંડા પાણી ની પરબ, શિયાળા માં જરૂરિયાત મંદ ને ધાબળા વિતરણ જેવી સેવાકીય પ્રવુતિઓ ગ્રુપ દ્વારા ચલાવવા માં આવે છે.મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ના ફાઉન્ડર મેમ્બર્સ જણાવે છે કે આ ગ્રુપ માં સર્વે સમાજ ના સર્વે ધર્મ ના લોકો જોડાયેલા છે આ ગ્રુપ માં કોઈ હોદ્દો નથી તમામ સંયમ સેવક છે 300 થી વધુ ભાઈયો બહેનો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. બ્લડ ની જરૂરિયાત પડે ત્યારે લોકો ના મોઢે સૌથી પહેલા કોઈ ટીમ નું નામ આવે તો તે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!