વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા10 મે : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી છે, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ગુજરાતના કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઍલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરી હતી. જ્યારે હવે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થતાં જિલ્લા કલેક્ટર જણાવ્યું હતું કે, ‘આજે રાત્રે બ્લેકઆઉટની આપેલ સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી.’
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવ્યું હતું. જ્યારે હવે શનિવારે (10 મે, 2025) ભારત અને પાકિસ્તાન બંને દેશોએ યુદ્ધવિરામમાં સહમતિ દર્શાવી છે અને બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3:35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5:00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે, ત્યારે હવે જિલ્લામાં બ્લેકઆઉટ અંગે કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો આજે રાત્રે નાગરિકોએ અમલ કરવાનો રહેતો નથી.