સાપુતારાનાં ઋતુભરા વિશ્વ્ વિદ્યાલય ખાતે આચાર્ય તરીકે વય નિવૃત થયેલ જમાલભાઈ ચૌધરીને રંગેચંગે વિદાય આપી..
MADAN VAISHNAVOctober 25, 2024Last Updated: October 25, 2024
3 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારામાં આદિવાસી વિદ્યાર્થીનીઓ માટેની કાર્યરત ઋતુભરા વિશ્વ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જમાલભાઈ ચૌધરી તેમની ફરજકાળ દરમ્યાન ખુબજ મિલનસાર અને શિસ્ત બદ્ધ સ્વભાવનાં કારણે વિદ્યાર્થીઓ સહીત સ્ટાફગણમાં પણ સારી છાપ ધરાવતા હતા.તેમના નિવૃત્તિના વિદાય સમારંભમાં વિવિધ શાળાના શિક્ષકો ,આચાર્યો , વાલીઓ તેમજ ગ્રામજનો આગેવાનો દ્વારા તેમનું સન્માન કરી તેમની જીવનકાળની કામગીરીને બિરદાવી હતી.નિવૃત્તિ બાદ તેઓ તેમના પરિવાર સાથે સુખી નિરોગી જીવન ગાળે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી..