BANASKANTHAGUJARATTHARAD

આનંદનગર પ્રા.શાળા થરાદમાં તિથિભોજન અપાયું

27 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-૩ માં શાળામાં ચાલતી આંગણવાડી તથા બાલવાટીકા તથા ધોરણ ૧થી ૮ના ૮૬૫ બાળકોને પરમ પૂજ્ય સંતશ્રી નાગરવન બાપુ કરબૂણ ની પ્રેરણાથી દાતા પ્રજાપતિ જગદીશભાઇ માવાભાઇ(જામપુર વાળા) રહે થરાદ તથા પ્રજાપતી હરખાભાઇ નારણાભાઈ જામપુર તરફથી એક નવતર પ્રયોગ કરી નાના બાળકોને ખુબજ પ્રિય એવું પાઉં ભાજી નું માવા પિસ તથા છાસ સાથેનું તિથિભોજન આપવામાં આવ્યું. શાળાના દરેક બાળકને દાતાશ્રી તરફથી એક બૉલપેન પણ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ કે.મણવર તથા સ્ટાફ પરિવારે દાતાશ્રીને શાલ તથા સ્મૃતિચિહન આપી સન્માનિત કરેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!