કાલોલ નગરપાલીકા દ્વારા બનાવેલી પાણીની ટાંકી નો વિવાદ! વકફ બોર્ડ ની જમીનમાં કોઈ પણ પ્રકારની મંજુરી વગર ટાંકી બનાવ્યાનો આરોપ.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ વકફ બોર્ડ બીલમા સુધારો કરી નવો કાયદો બનાવવામાં આવ્યો છે. વકફ બોર્ડ ની મિલકતો માલીકી હકકે કેટલાક લોકો મિલકતો વેચી દેતા હોવાના ઘણા કિસ્સા બહાર આવ્યા છે અને પરિણામે સરકાર દ્વારા આ કાયદામાં સંશોધન કરી નવો સુધારો કરી નવો કાયદો બનાવવામાં આવ્યો છે પ્રગતીશીલ મુસ્લીમો એ આ નવા કાયદાનું સ્વાગત કરેલ છે. ત્યારે કાલોલ મા પણ આ પ્રકારનો બનાવ બન્યો છે.કાલોલ નગરપાલીકા દ્વારા વર્ષ ૨૦૨૨ મા નવીન પાણીની ટાંકી કાલોલ ની દિવાન વાડીમાં બનાવવામાં આવેલ આ સમયે ફેબ્રુઆરી 2022 મા દિવાન સમાજના આગેવાન અને તત્કાલીન પાલીકા પ્રમુખ,ઉપપ્રમુખ સહીત તત્કાલીન ધારાસભ્ય અને પાર્ટી પ્રમુખ સાથે હિંદુ મુસ્લીમ આગેવાનો અને બન્ને કોમના ધાર્મીક આગેવાનો હાજર રહ્યા હતા અને દિવાન સમાજ દ્વારા જણાવેલું કે તેઓના બાપ દાદા ના સમયથી પાણીની ટાંકીની જગ્યા નગરપાલિકાને ગ્રામજનો ને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે હેતુથી દિવાન સમાજ તરફથી કાલોલના સર્વે નંબર ૧૮૮ મા પાણીની ટાંકી માટે જમીન આપવામાં આવી છે. પાલીકા દ્વારા ટાંકી ની જગ્યા દિવાન તરફથી દાનમાં મળી હોવાની તકતી રૂપે ટાંકી ઉપર લખાણ પણ લખ્યું છે.આ અગાઉ વર્ષ ૨૦૦૧ મા પણ આ જગ્યાએ ટાંકી ઉભી હતી અને તે પહેલા પણ પાણીની ટાંકી આજ જગ્યાએ આવેલ હતી. હાલમા આ સર્વે નંબર ના સહ માલીક નસરીનબાનુ ઉર્ફે ખુશાલી તે ઐયુબશા દિવાન ની દીકરી તે જિગ્નેશ ગોવાણી ની પત્ની દ્વારા કાલોલ નગરપાલીકા પાસે આરટીઆઈ કાયદા હેઠળ માહિતિ માંગેલ છે જેનો પાલિકાએ યોગ્ય જવાબ નહી આપતા પ્રાદેશિક કમિશનર સમક્ષ અપીલ કરતા અપીલની સુનાવણી ૦૯/૦૪/૨૫ ના રોજ યોજાઈ હતી. પાલિકાએ આરટીઆઈ જવાબમા કબુલ કરેલ છે કે સર્વે નંબર ૧૮૮ ની જમીન નગરપાલિકાને સંપૂર્ણપણે હસ્તાંતરણ કરાઈ નથી. વધુમા પાલીકા સતાધીશો ને એ વાત નો ખ્યાલ જ નથી કે જે જમીન પર ટાંકી બનાવવામાં આવે છે તે જમીન પીર ઉસ્માનશા અઝીઝ ટ્રસ્ટ કે જે વકફ બોર્ડ અંતર્ગત રજીસ્ટર ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ / મુતવલી તરીકે જે લોકોના નામો નોંધાયેલ છે તે જ લોકોએ માલિકીના ધોરણે આ ટ્રસ્ટ ની જમીન પોતાના અંગત ફાયદા માટે ગીરો, વેચાણ આપી દીધી છે જેમા વકફ બોર્ડ ની ,કોઈ પુર્વ મંજુરી મેળવવામાં આવી નથી તેવો ચોંકાવનારો આક્ષેપ થયો છે. અરજદાર નસરીનબાનુ ઉર્ફે ખુશાલી દ્વારા જણાવ્યુ છે કે તેણીના પિતા ઐયુબશા દિવાન તા.૦૮/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરી જતા તેઓના સગા એકબીજાના મેળાપીપણામાં વારસાઈ હક્કે ખેડુત બની ગયા હતા અને ત્યારબાદ કાલોલ મામલતદાર દ્વારા પણ હુકમ કરી તેઓના ભાઈ સહિત અન્ય ખેડૂત હોવાની હકીકત ફગાવી દઈ તેઓની જમીન શ્રી સરકાર કરેલ છે ત્યારે કાલોલ નગરપાલિકા દ્વારા જે જમીન પર ટાંકી બનાવવામાં આવી છે તે જમીન માલીકો/વહીવટકર્તાઓ પાસે પાલિકાએ કોઈ પણ પ્રકારનો વેરો લેવો નહી તેવો ઠરાવ પણ વર્ષ ૨૦૦૧ મા કરેલ છે. જો પાલિકા આ લોકોને જમીન માલીક માનતી હોય તો કાયદેસર કાર્યવાહી કેમ ન કરી? તમામ માલિકોની સંમતી કેમ ન મેળવી? જો સંખ્યાબંધ ટ્રસ્ટીઓ/ મૂતવલી હાજર હતા તો માત્ર એક કે બે ઈસમો ની જ સંમતિ કેમ મેળવી? વકફ બોર્ડ ની મંજુરી કેમ નથી મેળવી?સમગ્ર મામલે નસરીનબાનુ ઉર્ફે ખુશાલી દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ અરજી પણ કરવામાં આવી છે જેમાં નાયબ કલેક્ટર દ્વારા પાલિકાને યોગ્ય જવાબ કરવા સુચના આપી છે. વધુમાં નસરીનબાનુ દ્વારા વકફ બોર્ડ સમક્ષ પણ માહિતી માંગવામાં આવી છે જેમા વકફ બોર્ડ દ્વારા જણાવ્યુ છે કે કે પીર ઉસ્માન અઝીઝ ટ્રસ્ટ ની જમીન કાલોલ બી ૧૪૮ મા કોઈ મિલકતનું વેચાણ થયુ નથી કે કોઈ ભાડૂઆત પણ નથી આ સંસ્થાને વેચાણની કોઈ મંજુરી આપવામાં આવી નથી. આ મામલો હવે પેચીદો બની ગયો છે જો વકફ બોર્ડ મા નોંધાયેલ ટ્રસ્ટ ની આ જમીનો છે તો ટ્રસ્ટીઓ જમીન પોતાની મેળે કેવી રીતે વેચાણ, ગીરો, બાનાખત, બક્ષીસ કરી શકે? ટ્રસ્ટીઓને ટ્રસ્ટની જમીન વેચાણ કરવાનો કોઈ હક નથી જો કોઈ જમીન ટ્રસ્ટના વિકાસ માટે વેચાણ કરવી હોય તો સંબંધિત સતાધીશો ની મંજુરી મેળવવી અનિવાર્ય છે ત્યારે પીર ઉસ્માનશા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ના વારસદાર દ્વારા જ સમગ્ર મુદ્દો ઉઠાવવામાં આવતા અને ઉચ્ચ સ્તરે લેખીત રજુઆતો કરાતા આગામી દિવસોમાં આ જમીનો બાબતે નવા રહસ્યો સામે આવે તેવી સંભાવના છે. “આ જમીનમાં આ ત્રીજી ટાંકી બનાવી છે. ૧૯૬૫ મા ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા બોર્ડ મારફતે દેવસ્થાન ની જમીન મા પાણીની ટાંકી બનાવવામાં માટે જીલ્લા કલેક્ટર ને ઠરાવ મોકલી આપ્યો હતો.ત્યારબાદ ટાંકી બનાવી હતી અને તે ટાંકી જર્જરીત થતા વખતોવખત તોડી નવી બનાવાઈ છે. ટ્રસ્ટ ની જમીન વકફ બોર્ડ મા નોંધાયેલ છે કે કેમ તેની ખબર નથી.ઘણા સમય બાદ અરજદાર નસરીનબાનુ એક માત્ર વિરોધ કરે છે અન્ય ટ્રસ્ટીઓ/ માલીકો આ બાબતે કોઈ વાંધો લેતા નથી.”મિલાપ પટેલ ચીફ ઓફિસર કાલોલ નગરપાલિકા