ખંભાળિયા તાલુકાના સલાયા અને કોઠા વિસોત્રી ગામે નાટક થકી મતદારોને ‘મતદાન જાગૃતિ સંદેશો’ પાઠવાયો
મતદાન કરવા માટે ગ્રામજનો સંકલ્પબદ્ધ થયા
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ – ખંભાળિયા મતદાર વિભાગનાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેમાં ૮૧ – ખંભાળિયા મતદાર વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટાના નેતૃત્વ હેઠળ મહત્તમ મતદાન થાય તે માટે વ્યાપક પ્રમાણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી તેમજ સલાયા બંદર ખાતે માછીમારો મહત્તમ મતદાન કરે તે માટે શેરી નાટક થકી મતદાર જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં નાટ્ય કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ આપતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. ખાસ કરીને મહિલા મતદાતાઓ પરિવાર સાથે મહત્તમ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગ્રામજનોએ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા માટે સંકલ્પ લીધા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.