GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા “જિલ્લા ગુણવત્તા યાત્રા રથ” અંતગર્ત વર્કશોપનું આયોજન કરાયું.

ગુજરાતની એમ.એસ.એમ.ઈ ઈકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલા નિર્ણાયક પગલા હેઠળ ગુણવત્તા યાત્રા ગાંધીધામ પહોંચી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ, તા-07 મે : રાજ્ય સરકાર દ્વારા “ગુણવત્તા યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ગુણવત્તા રથ યાત્રા તથા વર્કશોપ યોજાશે. જે અંતગર્ત કચ્છ જિલ્લાના ગાંધીધામના ચેમ્બર ભવન ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતની એમ.એસ.એમ.ઈ ઈકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલા નિર્ણાયક પગલા હેઠળ ગુણવતા યાત્રા ગાંધીધામ (કચ્છ) પહોંચી હતી. જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, ગુણવત્તાસભર નિષ્ણાતો તથા સરકારી અધિકારીઓને એકસાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી યાત્રા ચાલુ રહેશે. જેમાં સુરત, વડોદરા, સિદ્ધપુર વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૦ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબધ્ધાને વધુ મજબૂત બનાવશે. આ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના ક્યૂસીઆઈના સંયુક્ત નિયામક શ્રી મોહિત સિંહ દ્વારા કરવામાં આવી હતી. ક્યુસીઆઈના જોઇન્ટ ડિરેક્ટર ડૉ. ભૂમિ રાજયગુરુ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા એનએબીએલ એક્રેડિટેશન ઓફર કરાઈ હતી તથા શ્રીમતી દર્શના જૈન, ઝેડ.ઈ.ડી. ફેકલ્ટી દ્વારા એમ એસ.એમ.ઇ. માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા વધારવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડ.ઈ.ડી. અને એલ.એ.એન. પ્રમાણપત્રો ઓફર કરવામાં આવ્યા હતા.બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)ના અધિકારીઓ – શ્રી પ્રહલાદ પટેલ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના એફએસઓ શ્રી એમ. એમ. પટેલ દ્વારા નિયમોનું પાલન, પર્યાવરણીય નિયમનો અને અનુપાલન, સહાયક પર્યાવરણીય ઇજનેર શ્રીમતી શ્વેતા શર્મા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા એમએસએમઇ માટે યોજનાઓ અને લાભો વિશે સુશ્રી પિનાકિની પ્રજાપતિ, સીનિયર ઇન્સ્પેક્ટર ડીઆઇસી ભુજએ માર્ગદશર્ન આપ્યું હતું. તેમજ શ્રી સિદ્ધાર્થ કામત, એઆઇ સેન્ટર ઓફ એક્સલન્સ, ગિફ્ટ સિટી, જીઓજી દ્વારા એમ.એસ.એમ.ઈ માટે સ્માર્ટ સોલ્યુશન્સ મારફતે ગુણવત્તામાં સુધારો કઈ રીતે કરવો તેવી માહિતી પુરી પાડવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ચેમ્બરના કમિટી મેમ્બરશ્રી કૈલાશ ગોર, શ્રી કે.પી ડેર, જી.એમ., ટી.આઈ.સી, કચ્છ, શ્રી મોહિત સિંહ, સંયુક્ત નિર્દેશક, એનબીક્યુપી, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, દિલ્હી, ડૉ.ભૂમિ રાજયગુરૂ, એનઅએબીએલ- ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, અમદાવાદ, શ્રી જગત પટેલ, એનબીક્યુપી, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, અમદાવાદ, તેમજ એસોસીએશનના સભ્યો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. આ યાત્રાથી રાજ્યભરના એમએસએમઈને ઝેડઈડી, આઈએસઓ અને લીન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને ઉદ્ધોગોને વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે સક્ષમ બનાવશે તેવું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની અખબાર યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!