GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં માવઠા અને વાદળછાયા વાતાવરણની શક્યતાને લઈને જીરાના પાક માટે ખેડૂતોને રાખવાની થતી કાળજી

જૂનાગઢ જિલ્લામાં માવઠા અને વાદળછાયા વાતાવરણની શક્યતાને લઈને જીરાના પાક માટે ખેડૂતોને રાખવાની થતી કાળજી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ/ માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતાને ધ્યાને લઈને જીરૂના પાકમાં જરૂર જણાય તો નીચે મુજબના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.
જીરાનો પાક કમોસમી વરસાદ / માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોઈ, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૩૦ ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.
આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ  અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!