GUJARATKUTCHMANDAVI

ખરાબ હવામાન તથા ભારે પવનની પરિસ્થિતિ વચ્ચે માછીમારોને દરિયો નહીં ખેડવા અનુરોધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-08 મે  : ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવવાની આગાહી હોય કચ્છના તમામ માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયામાં રહેલા માછીમારોને તુરંત જ પરત આવી જવા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આગામી સૂચના સુધી દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઈશ્યૂ કરવામાં આવશે નહીં. ઉપરાંત, કચ્છના તમામ મત્સ્ય બંદર અને મત્સ્ય ઉતરણ કેન્દ્રના માછીમાર, સમાજના આગેવાનશ્રીઓ, બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ તથા બોટ માલિકોને આ સૂચનાનું પાલન કરીને સહયોગ આપવા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારીશ્રી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!