GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:નવચેતન વિદ્યા મંદિર પીંગળી નું 50 વર્ષ માં પ્રથમ વખત 98.90 પરસન્ટાઇલ સાથે રોશની સોલંકી એ ગૌરવ વધાર્યું.

 

તારીખ ૧૦/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય પરિવેશ ખાતે 1975 ની સ્થાપના નવચેતન વિદ્યા મંદિર ની કરવામાં આવી હતી જેનુ આજ સુધી નું SSC નું પરીણામ એકંદરે સારું આવેલ છે પરંતું 50 વર્ષ ની અંદર નો રેકોર્ડ તાજ કરી સોલંકી રોશનીબેને 98.90 પર્સંન્ટાઇલ 94%સાથે શાળા અને સમસ્ત ગામ નું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળા ટ્રસ્ટી મંડળ અને આચાર્ય સમીર શાહ, ગામના સરપંચ વિજયસિંહ સોલંકી, કવિ વિજય વણકર પ્રીત તેમજ રોશની ના પરીવારે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રોશની ના વડ દાદા એક સમયે શિક્ષક તરીકે ફરજ બજાવી સતત લોક સેવા માં જીવન સમર્પિત કર્યું છે તેઓ 15 વર્ષ દરમિયાન સરપંચ રહી ચૂક્યા હતા અને એક ટંક ભોજન જમતા હતા એવા ચુસ્ત અનુયાઈ હતા એવા સ્વ.રામસિંહ રાયજીભાઈ સોલંકી અને તેઓ ના પૌત્ર દિલીપસિંહ ની આ દિકરી કે જેઓ પીટીસી થયેલા દિલીપભાઈ શિક્ષિત અને શિક્ષિત પરીવાર ને કારણે એમનું સ્વપન પૂરું કરવા તેઓએ દિકરી ના શિક્ષણ ની ચિંતા કરી છે દિલીપભાઈ નું હાલ પરિવાર નું જીવન ધોરણ એક સામાન્ય નાની દુકાન પર નિર્ભર છે આ બાબતે ઘણાં દિકરા દિકરીઓએ એક ઉદાહરણ રૂપ શીખ લેવી જોઇએ રોશની ખુબ આગળ પ્રગતિ કરે અને ઉચ્ચપદવી પ્રાપ્ત કરી ગામનું શાળા નું અને પરીવાર નું નામ રોશન કરે અને ગૌરવ વધારે એવી ગ્રામજનોએ પણ શુભ કામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!