ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના
વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો
સેન્ચુરી એન્કા લિમિટેડ (યુનિટ – રાજશ્રી પોલિફિલ) કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી_ભરૂચ જીલ્લાના વેલુગામ ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 39 મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ, 211 ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ 262 આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનના કારણે ભરૂચ જીલ્લાના વેલુગામની આજુબાજુના આશરે 10 થી 12 ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી