GIR SOMNATHKODINAR

જગતિયા પ્રા.શાળામાં રાષ્ટ્રીય ઉદ્યાન સેવા સ્થાપક દિવસ નિમિત્તે શિબિર યોજાઇ.

પ્રકાશ મકવાણા કોડીનાર

તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે જગતિયા પ્રાથમિક શાળાના છાત્રોને સમજ આપવામાં આવી કે રાષ્ટ્રીય ઉદ્યાન સેવાની રચના આપણા પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી અને તેના સંસાધનોના સંરક્ષણના મહત્વને ઓળખવામાં એક મોટું પગલું છે. તેમજ બાળકો એ પોતાના ઘરે પણ એક એક છોડ રોપી અને તેની જાળવણી કરી અને હરીયાળી ક્રાંતિ લવાંમાં પોતાનું યોગદાન આપી શકે.ભૂલકાઓને પર્યાવરણ ની જરૂરિયાત અને તેની જાળવણી અને રક્ષણ માટેના જુદા જુદા ઉપાયો વિશે સમજાવવામાં આવ્યું. બાળકોએ ભવિષ્યના નિર્માણ કરતા છે.
તેમજ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું.તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા અને એમ.ટી.સીડા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી આદિત્ય વાઝા આચાર્યશ્રી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!