GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરના મારૂતિ પાર્ક સોસાયટીમાં ગંદુ પાણી વિતરણ થતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો.

તા.20/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતી પાર્ક સોસાયટીમાં ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળતા હોવાની સમસ્યા છે જેની અનેક લેખિત અને મૌખીક રજૂઆત છતા નિરાકરણ ન આવતા રહીશો કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી સમસ્યા દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી આપી હતી સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ સ્થિત મારૂતી પાર્ક સોસાયટીમાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળતા હોવાની સમસ્યા છે જેની રજૂઆત સંત સવૈયાનાથ સર્કલ મારૂતી પાર્ક સોસાયટીના દિનેશભાઇ રાઠોડ, જે.પી.વાઘેલા, જયેશભાઇ પારઘી સહિતનાઓએ કલેક્ટર કચેરીમાં સોમવારે લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં ગટરના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળે છે આથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતા કોઇ નિરાકરણ આવ્યુ નથી આથી એક વર્ષથી આ સમસ્યાથી પીડાઇ રહ્યા છીએ આથી રોગચાળો ફેલાયો છે આથી 30 થી 40 વર્ષ જૂની પીવાના પાણીની લાઇન તાત્કાલીક બદલવા, વિસ્તારના મેદાનમાં ગંદુ પાણી ભરાય છે ત્યાં માટી પુરાણ કરી મેદાન સમથળ કરવા, મેદાન પાછળ ભાગે ખુલ્લા પ્લોટમાં પાણી નિકાલ કરવા, સફાઇ અને કચરાની ગાડી નિયમિત આવેની વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી હતી. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!