BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામે ક્ષત્રિય સમાજ માં પરસોત્તમ રૂપાલના વિરોધ ના સૂર ઉઠયા

ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા

ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામે ક્ષત્રિય સમાજ માં પરસોત્તમ રૂપાલના વિરોધ ના સૂર ઉઠયા

 

 

 

પુરુષોત્તમ રૂપાલા ની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરુદ્ધની લાગેલી આગ સૌરાષ્ટ્ર થી લઇ ઝઘડિયાના વિસ્તારો સુધી પ્રસરી

 

ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ ના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા નો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી છે

 

ક્ષત્રિય સમાજે રજવાડાઓ એક અવાજે સોંપી દીધા હતા તો ભાજપ કેમ રૂપાલાની ટિકિટ રદ કરી નથી તેઓ વેધક પ્રશ્ન કર્યો હતો

 

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા ની ક્ષત્રિય સમાજ પર ટીપ્પણી નો વિવાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ સુધી પહોંચી રહ્યો છે, ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિપ્પણી બાબતે તેમની ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને હરીપુરા ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે, આ બાબતે હરીપુરા ગામ ખાતે આજરોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનુ દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, આ બાબતે યુવા આગેવાનો તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટીપણી કરી છે તે વ્યાજબી નથી જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો અમે તેનો બહિષ્કાર કરીએ છીએ, ચૂંટણી સમયે અમે એક પણ મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું, રૂપાલા એ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ, ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ થવી જોઈએ તે રદ કરી નથી, ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકરે હરીપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું, ક્ષત્રિય સમાજ એ આઝાદી બાદ એક અવાજે એક સાથે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા હતા તો શું ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટ ને રદ કરવામાં નથી આવતી તે ભાજપે સમજવું જોઈએ, અને પુરુષોત્તમ રૂપાલા ની ૭૦ વર્ષની ઉંમરે તેમણે ઉમેદવારી માટે આટલી લાલસા નહીં રાખવી જોઈએ, રૂપાલા એ પણ સમાજની જે માંગણી છે તેને આદર આપી તેમણે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ તેમ જણાવ્યું હતું, જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરીશું અને જ્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારા હરીપુરા ગામમાં એક પણ ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી અને ગામની અંદર ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાડ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે હરીપુરા ભરૂચ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરુષોત્તમ રૂપાલા ની ટિપ્પણી બાદ તેનો વિરોધ હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં હરીપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા થયેલો વિરોધ અન્ય ગામોમાં પણ પ્રવેશશે તેમાં કોઈ બે મત નથી !

 

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!