વિજાપુર વિધાનસભા 26 બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ માંથી આયાતી ઉમેદવાર ને ટીકીટ આપતા ભાજપમાં ભડકો
ભાજપ ની વિચારધારા ધરાવતા પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ ગોવિંદભાઇ પટેલનું રાજીનામુ
ભાજપમાં શુ થયું ? ભાજપ વિચારધારા ની કોંગ્રેસ વિચારધારા સામે ટક્કર થતા ચિનગારી ભડકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની વિધાનસભા 26 બેઠક ઉપર કોંગ્રેસ માંથી કમિટમેન્ટ કરીને આવેલા કોંગ્રેસની વિચારધારા ધરાવતા આયાતી ઉમેદવાર સીજે ચાવડાને ટીકીટ ફાળવી આપતા ભાજપના ચૂસ્ત કાર્યકર વર્ષો થી ભાજપને મજબૂત બનાવવા મહેનત કરતા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ પટેલે રોષ ઠાલવી રાજીનામુ આપતા સ્થાનીક રાજકારણ માં ગરમી પકડી છે આ અંગે ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતુંકે 1970 ની સાલ થી જનસંઘના કાર્યકર તરીકે શરૂઆત કરી છે ભાજપ નો ભગવો લઈને ઘેર ઘેર ફરી પ્રચાર કરી જીલ્લા માં ભાજપને મજબૂત બનાવવા છેલ્લા ચાલીસ વર્ષ સંનિષ્ઠ કાર્યકર તરીકે સેવાઓ આપી છે અને તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે વિધાનસભા ની બેઠક ઉપર ભાજપ માં ચૂંટણી લડવા બે થી ત્રણ વખત ટીકીટ માંગી હતી. પરંતુ ભાજપની વિચારધારા નહીં ધરાવતા આયાતી ઉમેદવાર ને ટીકીટ આપી સંનિષ્ઠ કાર્યકરો સાથે અન્યાય થઈ રહ્યો છે. હાલના સંજોગોમાં પાર્ટીના નિર્ણયથી ભાજપ તરફ મતદારો નો અચૂક વધારો થશે પરંતુ લાંબાગાળે ભાજપની મૂળ વિચારધારા વાળા સંનિષ્ઠ કાર્યકરો ની ઓટ આવી શકે છે જેને લઇને ગોવિંદભાઇ પટેલે પ્રાથમીક સભ્ય પદે થી રાજીનામુ આપતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી પકડી છે જોકે આ બાબતોને લઈને કદાચ વધુ રાજીનામા પડે તે નક્કી નથી પરંતુ શકયતાઓ વધી રહી છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.