કેનેડામાં પદ્મશ્રી નિમિત્તે જગદીશ ત્રિવેદીનું વિવિધ સંસ્થાઓ દ્રારા વિશિષ્ઠ સન્માન
આઇફા કેનેડા સહીત વિવિધ સંસ્થાઓએ 21 લાખ રૂપિયા આપ્યા જેમાં જગદીશ ત્રિવેદી 6 લાખ રુપિયા ઉમેરી 27 લાખ રુપિયાના ખર્ચે ગુજરાતમાં સરકારી શાળાનું મકાન બનાવશે.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આઇફા કેનેડા સહીત વિવિધ સંસ્થાઓએ 21 લાખ રૂપિયા આપ્યા જેમાં જગદીશ ત્રિવેદી 6 લાખ રુપિયા ઉમેરી 27 લાખ રુપિયાના ખર્ચે ગુજરાતમાં સરકારી શાળાનું મકાન બનાવશે.
કેનેડાનાં ઈટોબીકોક શહેરમાં આવેલા શ્રીંગેરી કોમ્યુનિટી સેન્ટરમાં ગુજરાતથી પધારેલા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનું કેનેડાની વિવિધ સંસ્થાઓ દ્રારા વિશિષ્ઠ સન્માન થયું હતું આ સન્માન વિશિષ્ઠએ રીતે કે જગદીશ ત્રિવેદીએ પોતાને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા બાદ એવી જાહેરાત કરી હતી કે હવેથી પોતે શાલ, ફૂલહાર, પુષ્પગુચ્છ, મોમેન્ટો કે સન્માનપત્ર જેવું કોઈ સ્થુળ સન્માન સ્વીકારશે નહી તદુપરાંત એમણે કહ્યું હતું કે જો મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરો સન્માન બદલે સેવા એવું મૌલિક સુત્ર આપનાર સમાજસેવક જગદીશ ત્રિવેદીની વાત એમના ચાહકોએ વધાવી લીધી હતી અને પદ્મશ્રી નિમિત્તે સૌપ્રથમ રતનપર ત્યારબાદ સુરેન્દ્રનગર, બોટાદ, પ્રથુગઢ, અણિન્દ્રા , વસાડવા અને મહુવા ખાતે એમ કુલ સાત સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન થયું હતું જેમાં દવાઓ પણ તદ્દન નિશૂલ્ક આપવામાં આવી હતી જગદીશ ત્રિવેદીના ચાહકો દુનિયાનાં તમામ દેશોમાં આવેલા છે એમના આ સુત્રને અનુસરી એમના કેનેડાનાં ચાહકો દ્રારા તા.૨૮/૭/૨૦૨૪ રવિવારની સાંજે ઓન્ટેરીયો રાજ્યના ટોરોંટો પાસે આવેલા ઈટોબીકોક શહેરના શ્રીંગેરી કોમ્યુનિટી સેન્ટરમાં આઈફા એટલે ઈન્ડીયન ફેમિલિ એશોશિએશનના નેજા નીચે વિવિધ સામાજીક સંસ્થાઓ અને સમાજ સેવકો સહીત આશરે છસો લોકો એકત્ર થયા હતા આ કાર્યક્રમમાં સન્માન બદલે સેવા સુત્રને સાર્થક કરીને કુલ ૨૧ લાખ રુપિયાનું અનુદાન એકત્ર કરી જગદીશ ત્રિવેદીને એમના સેવાયજ્ઞ માટે અર્પણ કરવામાં આવ્યું હતું ડો. જગદીશ ત્રિવેદીએ એમાં પોતાના ૬ લાખ રૂપિયા ઉમેરી કુલ ૨૭ લાખ રુપિયાના ખર્ચે ગુજરાતના પાટણ જીલ્લાનાં સમી તાલુકાના વરાણા ગામમાં ક્રાંતિકારી લેખક, પ્રખર વક્તા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના નામની માધ્યમિક શાળાનું મકાન બનાવવાની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં હોમલાઈફ મીરેકલ રીયલ્ટી લિ.ના અજયભાઈ શાહ તરફથી ૬ લાખ રુપિયા, એમએમથ્રી વિન્ડો કવરીંગના કિરીટભાઈ પટેલ તરફથી ૬ લાખ, ગુજરાતી ફૂડના જયસીલભાઈ પટેલ તરફથી ૩ લાખ એમ કુલ ૧૫ લાખ તેમજ આઈફા કેનેડાના જયેશ બ્રહ્મભટ્ટ, રજની પટેલ, પૂર્વેશ પટેલ, હીતેષ જગડ, પથિક શુકલ, રાજેશ બ્રહ્મભટ્ટ, ઉમેશ પટેલ, શિલ્પેશ પરીખ, કેયુર પટેલ તેમજ અન્ય ડીરેકટર્સ તરફથી તથા ચોવીસ ગામ પાટીદાર સમાજ, ગુજરાતી સમાજ ઓફ બ્રેમ્પટન, વ્રજ કેનેડા અને બ્રહ્મભટ્ટ સમાજ કેનેડા તરફથી ૬ લાખ મળીને કુલ ૨૧ લાખ રુપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું આઈફા- કેનેડા દ્રારા આ અગાઉ જગદીશ ત્રિવેદી સાથે મળીને ચોટીલા ખાતે વાદી મદારીના બાળકો માટે સરકારી પ્રાથમિક શાળા અને પાટડી ખાતે સરકારી બાળ આરોગ્યકેન્દ્ર મળીને આશરે પચીસ લાખ રુપિયાના બે સેવાકાર્ય સફળતાથી પૂર્ણ થયા બાદ પાટણ જીલ્લાની શાળા ત્રીજુ સોપાન સિદ્ધ થશે.