JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીએ કંટ્રોલ રૂમની મલાકાત લીધી : ફરિયાદોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા આપી સૂચના

જૂનાગઢ તા.૧૦   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે સી – વીઝિલ- કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી. તેમણે સી – વિઝીલ એપ અને ટેલીફોન મારફત મળેલી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરી હતી.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સી-વિઝિલ એપ અને અન્ય માધ્યમો મારફત મળતી ફરિયાદોનો સમયમર્યાદામાં અને નિયમો અનુસાર યોગ્ય પ્રત્યુતર પાઠવવા માટે સૂચના આપી હતી. આ સાથે જરૂરી રજીસ્ટર તપાસી ફરિયાદોનો ગુણવત્તા યુક્ત રીતે ઉકેલ આવે તે માટે પણ ફરજરત અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

        ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતા ભંગ બાબતોની ૮ જેટલી ફરિયાદો મળી હતી. જે તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

        લોકશાહીના આ મહાપર્વમાં કંટ્રોલરૂમને પણ નવા રંગ રૂપ આપવાની સાથે સુશોભિત કરવામાં આવ્યો છે.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની આ કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારી-કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!