જૂનાગઢમાં દિવ્યાંગ બાળકોના શિક્ષકો મતદાન જાગૃતિ ઝુંબેશને આગળ વધારવા થયા સંકલ્પબદ્ધ
ખાસ શિક્ષકોની નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે લીધી પ્રતિજ્ઞા
જૂનાગઢ તા.૮ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૭-૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ત્યારે દિવ્યાંગ બાળકોના શિક્ષકો એવા ખાસ શિક્ષકોએ મતદાન જાગૃતિ ઝુંબેશને આગળ વધારવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
જૂનાગઢ શહેરના વાડલા ફાટક પાસેની વલ્લભાચાર્ય ગૌ-શાળા ખાતે આયોજિત દિવ્યાંગોના શિક્ષણ કાર્ય માટેની આયોજિત તાલીમમાં ૧૨૦ થી વધુ એવા આ ખાસ શિક્ષકોને મતદાન કરવા સાથે અન્યને મતદાન માટે પ્રેરિત કરવાના શપથ લીધા હતા. દિવ્યાંગ બાળકોના વાલીઓ પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા મતદાન જાગૃતિ માટે જુદા-જુદા રચનાત્મક ઉપક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે આ તાલીમ દરમિયાન IED- કો- ઓર્ડીનેટર શ્રી ગોપાલભાઈ પંડ્યાએ મતદાનના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. શ્રી જીગ્નેશ મહેતાએ નિર્ભયતાપૂર્વક, અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.