વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૨ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ- કચ્છ જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૬ થી ૧૨ માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા બાબતનુ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. જેમાં ABRSM પ્રાન્ત મંત્રી અને રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ શ્રી મૂરજીભાઇ ગઢવી, પ્રાંત સંગઠન મંત્રી તેમજ જિલ્લા માધ્યમિક સરકારી અધ્યક્ષ શ્રી નયનભાઈવાંઝા, પ્રાંત સહ સંગઠનમંત્રી તેમજ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક સરકારી જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ,મહિલા ઉપાદયક્ષ રાખીબેન રાઠોડ,મહિલા મંત્રી ડો.કૈલાશબેન કાંઠેચા,ગીતાબેન પરમાર,ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, પ્રાથમિક સંવર્ગ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ,અંજાર અધ્યક્ષ મયુરભાઈ પટેલ,ભુજ અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, ગાંધીધામ અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,એચ.ટાટ અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા,મહામંત્રી બળવંતભાઈ છાંગા, અમરાભાઈ રબારી સાથે તમામ હોદ્દેદારશ્રીઓની હાજરીમાં બહોળી સંખ્યામાં શિક્ષકોની સાથે કચ્છ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ. આ તકે સામાજિક સમરસતા મંચ વતી વિનોદભાઈ હડિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- કચ્છ વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી તેમજ નગર કાર્યવાહ હેતભાઈ જોશી પણ વિશેષ ઉપસ્થિત રહેલ હતા.ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત સહ કચ્છ આવકારે છે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓના જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તબક્કા વાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચકોટીના જીવન મૂલ્યો શીખી શકશે.સૌ પ્રજાજનો ગુજરાત સરકારના આ નિર્ણયને હંમેશા યાદ રાખશે.શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત કડક શબ્દોમાં વખોડે છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી.
શ્રીમદ્ ભગવદ ગીતામાં જ્ઞાન -ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતોને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે.
મહાત્મા ગાંધી તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ જેવા અનેક મહાપુરુષો એ શ્રીમદ ભાગવત ગીતામાંથી સદજીવન માટે પ્રેરણા લીધી છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે એ સત્ય, નિષ્ઠા ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતિક છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે.ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પોતાના સામાયિકોમાં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતના શ્લોકો નો આધાર લઈ સત્ય સ્થાપના તથા સત્યાગ્રહ નો આગ્રહ રાખી અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે.અમુક વ્યક્તિઓ દ્વારા ભગવદ્ ગીતાનો વિરોધ કરે છે, આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વખોડે છે તથા સરકારશ્રીને લાગણી અને માંગણી કરે છે કે જે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે તે સદાય નિરંતર ચાલુ રાખવો એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા વિનંતી અને અપીલ છે.
ભવદિય – “અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ”