6-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
માંડવી કચ્છ :- કચ્છી ગુજ્જર લુહાર સમાજ અને વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી દ્વારા સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છી ગુજ્જર લુહાર સમાજના સૌ જ્ઞાતિજનો દ્વારા હોમ હવન, શાસ્ત્રોનું પૂજન, મહાઆરતી અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાજ માટે સંગઠન અને વિકાસના કાર્ય હાથ ધરવામાં આવશે એવું માંડવી લુહાર સમાજના નવયુવાન પ્રમુખ અજય કિર્તીભાઈ આસોડિયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું. મહાપ્રસાદના દાતા શાંતિલાલભાઈ પિત્રોડા અને અંકિતભાઈ ઉમરાણીયા રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વકર્મા લુહાર યુવક મંડળ અને ભવાની મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.