GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આગામી તા.૭/૫/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જૂનાગઢ જિલ્લાના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૭ મેના રોજ સવેતન રજા મળશે.
મતદાનના દિવસે જૂનાગઢ જિલ્લાના શ્રમયોગીઓને સવેતન રજા કારખાના ધારા ૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ – ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થાર/સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા મળશે.
લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) (૧) અન્વયે કારખાના ધારા – ૧૯૪૮ હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈપણ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગીળ/ કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઊભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર, માલિક, નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એમ જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક ઐાદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!