સંતરામપુર bank of baroda માં સ્ટાફ અને સુવિધા નો અભાવ…
ઉનાળાની કાળજાળ ગરમીમાં પેન્શનરો વિધવા બાઈઓ અને ગવર્મેન્ટ કર્મચારીઓ પરેશાન.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર ની bank of baroda ની મુખ્ય શાખામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખાતેદારો આવેલા છે તેમાં પેન્શનરો ગવર્મેન્ટ ચલણ સાથે સરકારી કામકાજ થતું હોય, વિધવા બાઈઓ આવતી હોય, મહિલાઓ તેમજ બાળકો પણ આવતા હોય વેપારી તેમજ નોકરિયાત ના ખાતાઓ પણ આવેલા છે.
પરંતુ સંતરામપુરની bank of baroda ની મુખ્ય શાખામાં સ્ટાફની અછતના કારણે અને અધિકારીની ખાલી જગ્યા હોવાને કારણે ખાતેદારો બેંકમાં આવે ત્યારે કામગીરીમાં વધુ પડતો સમય લાગે છે અને ખાતેદારોને બેસી રહેવું પડતું હોય છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય??!!!
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે સંતરામપુર ની બરોડા બેંકની મુખ્ય શાખા માં મૂકવામાં આવેલા એસી બંધ હાલતમાં અને બગડેલા જોવા મળે છે જ્યારે એટીએમ ની વાત કરવામાં આવે તો એટીએમમાં પણ એસી બગડેલા છે અને તેને ચાલુ કરવામાં આવતા નથી એવી ખાતેદારોએ ઉગ્ર રજૂઆત કરી હોવા છતાં પણ બેંક ઓફ બરોડાના જવાબદાર અધિકારી દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી વધુમાં વાત કરવામાં આવે તો એટીએમ અને બેંક પાસબુક ભરવાના મશીનો એસી પંખા બંધ હોવાને કારણે અને કાળજાળ ગરમીના કારણે વારંવાર બંધ થઈ જાય છે જેને લઈને પૈસાની લેવડદેવડ કરવા આવતા ખાતેદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
એક વેપારીએ તો નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે મારે મશીનથી કેસ જમા કરાવવા અને ઉપાડવાનું અગત્યનું કામ દરરોજ હોય છે પણ હું જ્યારે આવું ત્યારે ઉપાડવાનું ચાલુ હોય તો જમા કરાવવાનું બંધ હોય છે એટલે આ મશીનો થી અમારા કામો થતા નથી જ્યારે અમે બેંકમાં જઈએ ત્યારે સ્ટાફ ઓછો હોવાને કારણે તેમાં વધુ સમય લાગી જાય છે અને અમે દુકાનદારોને ઘરાકી ને લઈને તેમાં સમય વધારે બગડતો હોય છે તો આ એટીએમ મશીનો વહેલામાં વહેલા તકે રેગ્યુલર સમયસર ચાલુ રહે તેમજ જે અડધો કલાક નું કામ કલાકો સુધી થાય છે અને લાંબી સમય સુધી બેસી રહેવું પડે છે તે ના થાય તેવું બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતેદારોને પડતી મુશ્કેલીનું નિરાકરણ વહેલામાં વહેલા તકે લાવવામાં આવે તેવી ગ્રાહકો ની લાગણી અને માંગણી છે.
«
Prev
1
/
151
Next
»
મોટા પ્રમાણમાં AAPના ઉમેદવારો જીતીને આવશે: #manojSorathiya