BHUJGUJARATKUTCH

ભુજ ખાતે તા. ૩મે ના કુપોષણ નિવારણ,સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ તથા વ્યંધત્વ નિવારણ, મેદસ્વિતા (જાડાપણ) માટે સારવાર સલાહ કેમ્પનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-02 મે  :  સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા.૦૩/૦૫/૨૦૨૫ના શનિવારના રોજ પુષ્યનત્રક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણપ્રાશનનાં ટીપા” નિ:શુલ્ક સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ પિવડાવવામાં આવશે. “કુપોષણ નિવારણ કેમ્પ”માં કુપોષિત/ નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. કિશોરીઓ, ધાત્રીમાતા, ગર્ભિણીમાતા તથા વ્યંધત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે. મેદસ્વિતા (જાડાપણ) માટે સારવાર સલાહ, યોગ માર્ગદર્શન તથા ઔષધ આપવામાં આવશે. સુવર્ણપ્રાશનના ઘણા ફાયદાઓ છે, જેવા મેધા(બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવા વાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય( શરીર સુદ્રઢ કરનાર), વર્ણ(શરીરનેના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળું છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે ૬ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું બને છે. અર્થાત સ્મરણશક્તિ ખૂબ વધે છે. એવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!