સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં ‘નર્મદવંદના’ હસ્તલિખિત અંકનું વિમોચન થયું
24 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ થરાદમાં તા. ૨૪/૮/૨૦૨૩, ગુરુવારના રોજ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા તથા ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત નર્મદજયંતી નિમિત્તે નર્મદવંદના : હસ્તલિખિત અંક (૨૦૨૩) નું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રેની કોલેજના શ્રી કે. પી. ગોહિલના શુભ હસ્તે આ અંકનું વિમોચન થયું હતું. કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપકો ડૉ. રતિલાલ કા. રોહિત અને હરેશભાઈ બઢિયાના માર્ગદર્શનમાં બી.એ./બીકોમ સેમ ૧-૩-૫ ના વિદ્યાર્થીઓએ આ અંક તૈયાર કર્યો હતો. આ નર્મદવંદના અંકમાં નર્મદના જીવન તથા સાહિત્યસર્જનના અંશો મૂકવામાં આવ્યા છે. જેમાં નર્મદના કેટલાક કાવ્યો, નિબંધઅંશ, મારી હકીકતના અંશ, શબ્દકોશ વિશે, ડાંડિયોના કેટલાક લેખોનો અંશ, કેટલાક પત્રો, નર્મદના હસ્તાક્ષર વગેરેનું સંપાદન કરવામાં આવ્યું છે. અંકનું આગળ-પાછળનું મુખપૃષ્ઠ પણ વિદ્યાર્થીઓએ નર્મદનું સુંદર ચિત્ર – સ્કેચ દોરીને તૈયાર કર્યું છે. કુલ ૯૩ પૃષ્ઠોનો આ અંક કલાત્મક અને નર્મદની માહિતીથી સભર છે. સમગ્ર અંકને સ્માર્ટ બોર્ડમાં પીડીએફ રૂપે રજૂ કરીને દર્શાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ અંકના વિમોચક શ્રી કે. પી. ગોહિલે તથા કોલેજના આચાર્ય ભાવિક ચાવડાએ આ હસ્તલિખિત અંક તૈયાર કરનાર સંપાદકો તથા વિદ્યાર્થીઓને અભિનદન પાઠવ્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કોલેજના બીએ સેમ ૫ ના વિદ્યાર્થી નયન પ્રજાપતિએ નર્મદના પુસ્તકોની યાદી રજૂ કરી હતી. કાર્યક્રમના અન્તે, સુલેખન સ્પર્ધામાં એકથી દસ નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને અધ્યાપકોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંયોજન સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના કો ઓર્ડીનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ કા. રોહિતે કર્યું હતું. વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.