BANASKANTHALAKHANI

કે.કે.ભેદરૂ ચેરીટેબલ ટ્રસ્ટ સંકુલ મા ગરબા મહોત્સવ ઉજવાયો

અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન વિદ્યાભારતી સંલગ્ન અને ચૌધરી કાળાભાઈ ખેતાભાઈ ભેદરુ ભગત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિદ્યામંદિર પ્રાથમિક વિભાગ અને શ્રી એસ કે ભેદરું વિદ્યાલય માધ્યમિક વિભાગમાં ગરબોત્સવ યોજાયો. હાલમાં પુરા ભારતમાં આદ્યશક્તિ માઁ અંબાજીના નોરતા જયારે ચાલી રહેલા છે ત્યારે ચારેબાજુ વાતાવરણ માતાજીના ભક્તિમય જોવા મળે છે ત્યારે આજેરોજ લાખણી ખાતે આવેલ શ્રી કે કે ભેદરું શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવેલ. ગરબામાં બાળકો સાથે શાળાના શિક્ષકો સાથે મળીને પોતાના ભાતીગળ પહેરવેશ તેમજ ટ્રેડિશનલ પહેરવેશ સાથે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ. ગરબા બાદ આદ્યશક્તિ માઁની પૂજા કરવામાં આવેલ. ટ્રસ્ટના પ્રમુખશ્રી લાલજીભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંઠિયા- ઝલેબીનો નાસ્તો કરાવેલ. કાર્યક્રમ દરમિયાન શાળાનુ વાતાવરણ રંગીન અને ભક્તિમય બની રહેલ. બાળકોના પહેરવેશ અને તેમના ગરબા રમવાની આવડત ના આધારે બાળકોને ત્રણ નંબર પણ આપવામાં આવેલ. અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!