WAKANER:વાંકાનેર મનરેગા યોજના અંતરગર્ત શિલાફલક ના કામમાં મટિરિયલ સપ્લાય લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
WAKANER:વાંકાનેર મનરેગા યોજના અંતરગર્ત શિલાફલક ના કામમાં મટિરિયલ સપ્લાય લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
એજન્સી દ્વારા ગ્રામપંચાયત ને નાણાંની ચુકવણી કરેલ નથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.
વાંકાનેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું માહિતી ના આધારે વાંકાનેર તાલુકાનાં ગામડાઓમાં મનરેગા યોજના અંતગર્ત શિલાફલક નું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ હતું જે કામ ગ્રામ પંચાયત એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે તેમજ મનરેગા એજન્સી દ્વારા કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ પણ આપી દીધેલ છે
મનરેગા યોજના અંતગર્ત નોડલ એજન્સી દ્વારા કુલદીપ કટ્રક્સન ને મટિરિયલના નાણાની ચુકવણી પણ થઈ ગયેલ છે તેમ છતા આ શીલાફલકનું કામ પૂર્ણ થયાને તેમજ મનરેગા નોડેલ એજન્સી દ્વારા એજેન્સી ધારકને નાણાં ચૂકવી દીધા તેને એક વર્ષ જેટલો સમય થઇ ગયેલ હોવા છતાં આજદિન સુધી મટિરિયલ એજન્સી ધારક ગ્રામ પંચાયતને એક પણ રૂપિયાનું ચૂકવણુ ન કરી ભ્રષ્ટાચાર આચરેલ છે.જે બાબતે આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા ડીડીઓ સાહેબ ને મટિરિયલ સપ્લાય એજન્સી ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.