
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના અધ્યાપક દ્વારા અન્નપૂર્ણા ટ્રસ્ટ, બહેરા મૂંગા સંસ્થામાં ગ્લુકો બિસ્કીટ નું સમર્પણ કર્યું.

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી.સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લા ના સમાજસેવી અધ્યાપક ડૉ મનોજ ગોંગીવાલા દ્વારા ગરીબ દર્દીઓ માટે ટિફિન શ્રમજીવી માટે ભોજન સેવા આપતી પ્રો. નટુભાઈ શાહ દ્વારા શરૂ કરેલ અન્નપૂર્ણા ટ્રસ્ટ તથા DB સંસ્થામાં અધ્યાપક શ્રી એ 1600 જેટલા પારલેજી બિસ્કિટના પેકેટ્સ નું સમર્પણ કર્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે ચાલીસ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સમર્પણ પોતાના સમયે સ્વખર્ચે સવા બે હજાર જેટલા કાર્યક્રમો કરી અવિરત સેવારત છે.





