NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના સર જે.જે.પ્રાયમરી શાળામાં ધોરણ-૫ ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી ખાતે આવેલી સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં ધોરણ-૫ ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી લઇ ધોરણ-૫ સુધી શાળાને વિવિધ રીતે સહયોગી થનાર વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

આ અવસરે ધોરણ-૫ ના વિદ્યાર્થીઓએ  વકતવ્યો દ્વારા પોતાની લાગણીઓ અને ભાવનાઓ વ્યકત કરી હતી. શાળાના આચાર્ય શ્રી કડોદવાલા અને દિપિકાબેન એ પ્રેરણાદાયક વકતવ્યો રજૂ કર્યા હતાં. શેઠ આર.જે.જે.શાળાના આચાર્ય શ્રી અમીષ મહેતાએ પણ વિદ્યાર્થીઓને આશીર્વચનો આપ્યા હતાં. શાળાના શિક્ષિકાશ્રી આરમતી કીકા એ પણ બાળકોને પગ્રતિના પંથે આગળ વધવાની શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાશ્રી પુષ્પાબેન અને ખ્યાતિેબેને  દ્વારા કરવામાં આવી હતી. શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. શાળાના સંગીત શિક્ષિકા આશ્લેષાબેને તૈયારી કરાવી હતી. આ પ્રસંગે બાળકો, વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!