BANASKANTHAGUJARATPALANPUR

યાત્રાધામ અંબાજી માં ચૈત્રી નવરાત્રી પ્રસંગે શ્રીમદ ભાગવત કથા એ જ્ઞાન નો ધોધ વહેવડાવ્યો

17 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

યાત્રાધામ અંબાજી માં ચૈત્રી નવરાત્રી ને લઇ જાણે સમગ્ર અંબાજી પંથક ભક્તિમય બની ગયું હોય તેમ જોવા મળ્યું હતું ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિર માં માં અંબે ની અખંડ ધૂન 24 કલાક જોવા મળી તો બીજી તરફ અગ્રવાલ વાટિકા માં શ્રીમદ ભાગવત સપ્તાહ માં મોટી સંખ્યા માં ભક્તો જ્ઞાન નું ભાથું બાંધતા હોય તેમ નજરે પડ્યા મોટી સંખ્યા માં અહીં ભક્તો ભાગવત સપ્તાહ નું જ્ઞાન ગ્રહણ કર્યું આ શ્રીમદ ભાગવત સપ્તાહ સુરત ના રહેવાસી વિજયભાઈ શાસ્ત્રી એ પોતાના વ્યક્તવ્ય થી આ સપ્તાહ માં આવેલા સ્ત્રોતા ઓ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા આ ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા માં અંબાજી સહીત આસપાસ ના લોકો એ પણ હાજરી આપી કથા શ્રવણ કરી હતી આમ તો લોકો પાસે સમય ની અછત હોય તેમ લાગતું હોય પણ હાલ આ ચૈત્રી નવરાત્રી ને લઇ ને તો ભક્તો ભક્તિમય બનેલા જોવા મળ્યા હતા કથા ના આચાર્યપદે સંજયભાઈ પંડ્યા પરેશભાઈ દવે તેમજ રોહિતભાઈ જોશી દ્વારા સમગ્ર કથા નું સુંદર સંચાલન પણ કરવામાં આવ્યું હતું

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!