KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના અંબાલા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં 18 વર્ષીય યુવાનનું સારવાર મળે તે પહેલા મોત.

 

તારીખ ૩૧/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અંબાલા ગામના 18 વર્ષીય જીગરકુમાર ઇન્દ્રજીતસિંહ રાઠોડ શુક્રવાર ની વહેલી સવારે અંદાજીત સાડા પાંચેક કલાકે બાઇક પર સવાર પીતા ને અંબાલા ચોકડી નજીક બાઇક પરથી ઉતારી બાઇક લઇને પોતાના ઘરે પરત ફરતી વખતે બાઇક ને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું.કાલોલ તાલુકાના અંબાલા ગામના ઇન્દ્રજીતસિંહ અર્જુનસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ પોતાનો છોકરો જીગરકુમાર ઇન્દ્રજીતસિંહ રાઠોડ ઉ.વ.૧૮ ગતરોજ તારીખ ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ ફરિયાદી ઇન્દ્રજીતસિંહ ગાંધીનગર કંપનીમા જવાનુ હોવાથી સવારે સાડા પાંચેક વાગ્યે પોતાની જીજે-૧૭-સીજી-૯૦૬૬ નંબરની મોટરસાયકલ લઈને પુત્ર જીગરકુમાર અંબાલા ચોકડી ખાતે ઉતારવા આવેલો અને અંબાલા ચોકડી ઉતારી પરત ઘરે જતો રહેલ અને થોડીવારમાં અંબાલા ચોકડી બસ સ્ટેડની બાજુમા આવેલા મંદીરે બે-ત્રણ માણસો એક્સીડેન્ડ થયુ છે તેવી વાત કરતા ઇન્દ્રજીતસિંહ રાઠોડ ત્યાથી એક્સીડન્ટ થયેલ તે જગ્યાએ જોવા ગયેલ ત્યાં જઈને જોતાં પોતાની મોટર સાયકલ રોડની બાજુમાં પડેલ હતી જે મોટર સાયકલને આગળના ભાગે નુકશાન થયેલ હતુ અને પોતાનો પુત્ર જીગરકુમાર રોડની સાઇડમાં બેભાન હાતલમા પડેલ હતો અને કઈ બોલતો ચાલતો ન હતો અને રોડ ઉપર ટાયર ઘસેડાયેલના પાટા પડેલ હોય એવામાં ગામના બીજા માણસો પણ આવી ગયેલ જેમાથી ગામના લોકોએ ૧૦૮ ને ફોન કરેલ જ્યાં આજુબાજુમા ઉભેલ માણસો મારફતે જાણવા મળેલ કે કોઈ વાહનથી એક્સીડેન્ટ થયેલ છે પરંતુ કયા વાહનથી થયેલ છે તેની વિશે કોઈ માહીતી મળી ન હોય તેવામાં ૧૦૮ આવી જતા પુત્રને ૧૦૮ મા બેસાડી કાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દવા સારવાર માટે લઈને આવ્યા જ્યાં સારવાર મળે તે પહેલા જ ફરજ પરના ડોક્ટ૨એ જીગરને તપાસી મરણ ગયેલ હોવાનુ જણાવેલ જેથી લાશને કાલોલ સરકારી દવાખાનાના પી.એમ.રૂમમા મુકાવી અસ્માત કરનાર અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધમાં મરણ જનાર પુત્રના પિતાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!