PATANSIDHPUR

ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં શહીદવીર ઝાલા જવાનસિંહના સ્મારકનો અનાવરણ કરવામાં

ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં  શહીદવીર ઝાલા જવાનસિંહના સ્મારકનો અનાવરણ કરવામાં

 

ઊંઝાના બ્રાહ્મણવાડા ગામમાં આજરોજ શહીદવીર ઝાલા જવાનસિંહના સ્મારકનો અનાવરણ કરવામાં આવ્યું ગ્રામજનો તેમજ આગેવાનોએ હાજર રહ્યા હતા
શહીદવિર જવાનસિંહ ઝાલાનો જન્મ 1942 માં થયો હતો.તેઓએ ધોરણ સાતની પરીક્ષા પાસ કરી હતી જેમાં શિક્ષકની નોકરી કચ્છના લખપત તાલુકાના બરંદા ગામમાં શરૂ કરી હતી.પરંતુ શહીદવીર જવાનસિંહની પોતાની ઇચ્છા આર્મીમાં જોડાઈને ભારત દેશ સેવા કરવાની હતી.તેથી તેઓએ ફક્ત ત્રણ મહિના શિક્ષકની નોકરી કરી રાજીનામુ આપ્યું હતું અને નોકરી છોડીને કચ્છ માંજ આર્મીમાં ભરતી થઈ ગયા હતા અને આર્મીની ટ્રેનિંગ પુરી કરી અને આર્મીમાં તેઓ નવ રાજપુતાના રેજિમેન્ટમાં પોસ્ટિંગ મળ્યું હતું વર્ષ 1961/62 માં ભારત અને ચાઈના વચ્ચે યુદ્ધ થયુ હતું એ દરમ્યાન પણ ફરજ નિભાવી હતી ત્યારબાદ વર્ષ 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું એમાં પણ ફરજ નિભાવી હતી.તેના પછી વર્ષ 1971માં ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ ત્યારે શહીદવીર ઝાલા જવાનસિંહ પાકિસ્તાનના સામ્બ વિસ્તારમાં સીઝ પાર કરી પહોંચી ગયા હતા જેમાં પાકિસ્તાનીઓ સાથે લડતા લડતા તારીખ 15 ડિસેમ્બર 1971ના દિવસે ઝાલા જવાનસિંહ શહીદ થયેલા હતા.ઝાલા જવાનસિંહ શહીદ થવાથી તેમના પરિવાર ઉપર મોટી આફત આવી પડેલી તેઓ તેમના માતુશ્રી કંકુબા અને તેમના બે નાના ભાઈઓ તેમજ પરિવાજનોએ ખુબ જ મુશ્કેલીઓથી સમય પસાર કર્યો હતો
જેમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ લોકો તેમજ કુટુંબીજનો અને સરપંચ ઝાલા પૃથ્વીસિંહ દ્વવારા શહીદવીર ઝાલા જવાનસિંહનુ ગામ વચ્ચે સ્મારક બનાવીને આજરોજ સ્મારકનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો અને બ્રાહ્મણવાડાના સરપંચ પૃથ્વીસિંહ તેમજ ગ્રામજનો અને કુટુંબીજનોએ જણાવ્યું હતું કે ગામમાંઆ સ્મારક બનાવીને આપણે શહીદવીર જવાનસિંહ ઝાલાના ભારત દેશ માટે આપેલ બલિદાન હંમેશા યાદ રાખીસું તેમજ શહીદવીર જવાનસિંહે આપેલ બલિદાનનુ ઋણ ચૂકવી શકાય તેમ તો નથી પરંતુ આપણે થોડું ઘણું ઋણ ચૂકવી આપણી ફરજ અદા કરીએ એજ તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તથા આ સ્મારક બનાવવાથી જોઈને આપણા યુવાનો અને બાળકો મનમાં દેશ સેવા કરવા માટે સારા વિચારો આવે અને તેમના જીવનમાં ઘણું બધું શીખવાનું મળે તેમજ શહીદવીર ઝાલા જવાનસિંહે આપેલા બલિદાનો હંમેશા યાદ રહે એ હેતુ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ વચ્ચે પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલા મહેમાનોએ જણાવ્યું હતું ઝાલા જવાનસિંહ દેશની રક્ષા માટે આપેલ બલિદાન હંમેશા યાદગાર રહશે.શહીદવીર ઝાલા જવાનસિંહ ની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ઊંઝા તાલુકામાંથી પધારેલ હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા ,પાટણ

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!