વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીના સમગ્ર વિસ્તારમાં કાયદો, વ્યવસ્થા જાળવણી, જાહેર સ્થળોની સુરક્ષા તથા સલામતી માટે, જાહેર હિતમાં કોઇપણ વ્યકિત સંસ્થા, મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ, અર્ધ રાજકીય પક્ષ અને ચૂંટણીના ઉમેદવારો માટે તાત્કાલિક અસરથી આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ સુધી કેટલાંક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કોઇપણ ઉમેદવાર કે વ્યકિતએ પોતાના ચૂંટણી પ્રચાર અંગે જાહેર માર્ગો, સાર્વજનિક માર્ગો, જાહેર કે સરકારી મકાનો, જગ્યાઓ, મિલ્કતો કે માર્ગોની બંને બાજુએ વાહન વ્યવહાર માટે વપરાતા રહેતા રસ્તા, ક્રોસીંગ, ચાર રસ્તા, એસ.ટી.સ્ટેન્ડ, શેરીઓના નાકા- મકાનો, જાહેર મિલ્કતો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા, કાગળ કે અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો અને રાજકીય અગ્રણીઓના કટ આઉટ વગેરે ઉભા કરવાનો અને એજ રીતે રેલ્વેની મિલ્કતો, સરકારી મકાનો જાહેર મિલ્કતો, વિજળી અને ટેલિફોનના થાંભલા જેવી સરકારી મિલ્કતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનો, દરવાજા, જાહેર પાટીયા, બેનરો, ધજા, પતાકા, ભીંતચિત્રો વિગેરે ચૂંટણીના પ્રચાર માટે મુકવા કે ઉભા રાખવા નહિ.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.