ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગતા જાનહાનિ ટળી
તા.27/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખારાઘોડા રણમાં મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી પરંતુ સદભાગ્યે આ ઘટનામાં જાનહાની ટળી હતી ડ્રાઈવર અને ક્લીનર સમય સુચકતા વાપરીને સમયસર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી આજે રણમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી હોવાનું સામે આવ્યું છે થોડા સમય અગાઉ જ ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા એકનું મોત થયું હતું એજ અઠવાડીયામાં વેરાન રણમાં ફરી બે ટ્રકો સામસામે અથડાતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ બંને ગોઝારી ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ અને આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે બીજી બાજુ રણમાં આગ ઓકતી કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓ વચ્ચે સેંકડો ટ્રકો દ્વારા મીઠું ખેંચવાની સીઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખારાઘોડા રણમાં આગ ઓકતી ગરમીમાં મીઠું ભરેલી ટ્રક સળગી ઉઠી હતી જેમાં ડ્રાઈવર અને ક્લીનર સમયસુચકતા વાપરીને સમયસર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી આજે રણમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!