Dhoraji: ધોરાજીમાંથી રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમનું ૩૬ હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત કરતા પ્રાંત અધિકારી
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂ.૧૨.૩૪ લાખથી વધુ રકમના ૩૬ હજાર કિલો અનાજની ૭૨૧ બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટા મામલતદાર શ્રી આર.કે. પંચાલ દ્વારા પકડાયેલા અનાજના જથ્થા બાબતે આગળની તપાસ હાથ ધરતા ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનાઓ પાસે એક શંકાસ્પદ ગોડાઉન બાબતે જાણકારી મળતા પ્રાંત અધિકારી-ધોરાજી, મામલતદાર-ધોરાજી,નાયબ મામલતદાર પુરવઠા તથા મામલતદાર,ધોરાજીની ટીમ દ્વારા ૫૧૮ બેગ ઘઉં જેની કિંમત ૦૮,૨૮,૮૦૦/- અને ૨૦૩ બેગ ચોખા જેની કિંમત ૦૪,૦૬,૦૦૦/- એમ મળી કુલ-૭૨૧ બેગ અંદાજે ૩૬,૦૦૦/- કિલો અનાજ કે જેની કુલ કિંમત ૧૨,૩૪,૮૦૦/- નું શંકાસ્પદ સરકારી અનાજ બીલ વગરનું જપ્ત કર્યું છે.
આ સિવાય ૨ બોલેરો કે જેની અંદાજિત કિંમત ૧૦,૦૦,૦૦૦/- ની થાય છે તે સીઝ કરીને પોલીસને સોંપેલ છે.
ગોડાઉન ભાડે રાખનાર માલવિયા મહમદભાઈ જમાલભાઈનું નામ આવતા આગળ કાયદા મુજબ કાર્યવાહી થશે તેમ પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ જણાવ્યું હતું.