GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે કન્યાકેળવણી મહોત્સવ

તા.૨૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લાની ૮૬૭ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકોને બાલવાટિકા અને ધો.૧માં મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાશે

Rajkot: રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકો ઉત્સાહભેર શાળા પ્રવેશ કરે તે માટે તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે. પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે રાજકોટ જિલ્લાના કુલ ૧૮,૫૧૭ ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૮૪૬ અને જેતપુર તથા ઉપલેટામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ પ્રાથમિક શાળા સહિત કુલ ૮૬૭ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે.જેમાં હાલમાં ૫૪,૩૩૧ કુમાર તથા ૫૨,૩૩૭ કન્યા મળી કુલ ૧ લાખ ૬ હજાર ૬૬૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે શાળાઓમાં ધો.૧માં ૪,૯૭૬ વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકામાં ૧૩,૫૪૧ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૮,૫૧૭ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થશે. આ મહોત્સવ દ્વારા રાજકોટ ખાતે ૭૧ રૂટમાં ૮ આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., ડી.એસ, જે. એસ. કક્ષાના તથા ૭૧ ક્લાસ વન અને ટુ ના અધિકારીશ્રીઓ દ્વારા ભૂલકાંઓને શાળામાં પા-પા પગલી કરાવવામાં આવશે.

તાલુકા અનુસાર બાલવાટિકા વર્ગમાં ધોરાજી તાલુકાના ૭૩૯, ગોંડલ તાલુકાના ૧૧૮, જામકંડોરણાના ૪૮૦, જેતપુરના ૧૧૦૯, જસદણના ૧૬૬૯, કોટડાસાંગાણીના ૮૫૭, લોધિકાના ૬૩૨, પડધરીના ૬૩૭, રાજકોટના ૨૧૫૩, ઉપલેટાના ૧૦૭૧ અને વિંછીયા તાલુકાના ૧૧૨૮ એમ કુલ ૧૩૫૪૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧મા ધોરાજી તાલુકાના ૪૧, ગોંડલ તાલુકાના ૩૩૯, જામકંડોરણાના ૨૪, જેતપુરના ૩૪, જસદણના ૧૯૧૨, કોટડાસાંગાણીના ૪૬, લોધિકાના ૪૮, પડધરીના ૧૩, રાજકોટના ૨૪૬૫, ઉપલેટાના ૨૯ અને વિંછીયા તાલુકાના ૨૫ એમ કુલ ૪૯૭૬ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે. આ સાથે જિલ્લાના ધો. ૯ માધ્યમિક તેમજ ધો.૧૧ ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ કરતાં વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસ માટે શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!