GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વાત્સલ્યમ્ ઈફેક્ટ:કાલોલ જુના સરકારી દવાખાના સામેના વૃક્ષમાં લપેટાયેલા વીજવાયરો ઉપરથી ડાળીઓ એમજીવીસીએલે દૂર કરી

તારીખ ૨૨/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત જુના સરકારી દવાખાના અર્બન હેલ્થ ઓફિસ પાસે આવેલું વિજળી કંપનીનો ટ્રાન્સફોર્મર તરફ પહોંચતા વિજ પુરવઠાના વાયરો ઝાડીઓની લપેટમાં આવી જતા હતા અને વારંવાર લગરીયુ ટુટી જતા સ્થાનિક રહીશોના ઘરના વારંવાર વીજળી ની આવન-જાવન ને કારણે વીજ ઉપકરણના સાધનો ખોટકાઈ જતા જેને લઇ સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનાં સમાચાર વાત્સલ્યમ્ સમાચારમાં અહેવાલ તારીખ ૧૮/૦૧/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ થયા હતા જેને પગલે ગતરોજ કાલોલ એમજીવીસીએલ ના નાયબ ઇજનેર અનીશભાઇ ત્રિવેદી દ્વારા લોકહિત માં યોગ્ય પગલાં લઇ તેઓની સુચના અનુસાર એમજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા મેન્ટેનન્સ માટે વિજ પુરવઠો બંધ રાખીને ઝાડી ઝાંખરાઓને સાફસફાઇ કરી યોગ્ય કામગીરી કરાતાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ અને મીડિયા કર્મીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.





