GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચારસંહિતાનાં અમલીકરણ માટે વિવિધ જગ્યાઓએથી અત્યાર સુધીમાં ૧,૬૪૩થી વધુ પ્રચારાત્મક લખાણો,બેનર વગેરે હટાવવામાં આવ્યા

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાંથી તા. ૨૨ માર્ચ સુધીમાં કુલ ૧,૬૪૩ થી વધુ અનધિકૃત રાજકીય જાહેરાતો હટાવવામાં આવી છે, જેમાં જાહેર કે સરકારી મિલકતો પરથી ૧૩૯૭ તેમજ ખાનગી મિલકનો પરથી ૨૪૬ કેસ અંતર્ગત અનધિકૃત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે અને હાલના તબકકે કોઈ જાહેરાતો દુર કરવાની બાકી નથી તેમ રાજકોટ ગ્રામ્યના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે કોઈ અનધિકૃત પ્રચાર જાહેરાત કે આચારસંહિતા ભંગ અન્વયે નાગરીકો સીટીઝન વીજીલન્સ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨નો સંપર્ક કે સી વિજીલ મોબાઈલ એપ પર ફરિયાદ કરી શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!