JUNAGADH

જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા પદાધિકારી-અધિકારીઓએ આવકાર્યા

પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે મહાનુભાવોએ પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ નિરીક્ષણ મારફતે ક્યાસ મેળવ્યા બાદ જૂનાગઢના બિલખા રોડ પરનાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ખાતે આગમન થતાં પદાધિકારી-અધિકારીઓએ પુષ્પ આપી મુખ્યમંત્રીને સહર્ષ આવકાર્યા હતા.
મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસનું મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું
આ સ્વાગતમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, રાહત કમિશનર આલોક પાંડે, પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, આઈ.જી. મયંકસિંહ ચાવડા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, કમિશનર રાજેશ તન્ના, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, અગ્રણી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી-અધિકારી જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!