GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૫ જુલાઈના રોજ ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૫ જુલાઈના રોજ ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઓસ્ટીન એન્જિનીયરિંગ કંપની લિમીટેડ જુનાગઢ, એક્ઝાકટ મશીન તથા ઓમ કાર્સ પ્રા.લી. ખાતે ઇન્સપેક્ટર, CNC ગ્રાઇન્ડિંગ / હોનિંગ-ઓપરેટર, હેલ્પર, ફિટર, ડેટા ઓપરેટર, સેલ્સ કન્સલ્ટન્ટ ની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ સ્નાતક, ડિપ્લોમા, એચ.એસ.સી. કે આઇ.ટી.આઇ. ની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!