GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ:નેશનલ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ થી સતીશકુમાર પ્રજાપતનું ગાંધીનગર ખાતે સન્માન.
તારીખ ૨૬/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગ થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી ના માર્ગદર્શન હેઠળ તેમજ રાજ્ય સંયોજક મિનેષ ભાઇ પ્રજાપતિ ના સહયોગ થી આજે ગાંધીનગર મુકામે ભારતના 14 રાજ્યના કુલ 125 જેટલા શિક્ષકોને નેશનલ એન્વાયર મેન્ટ કંજરવેશન એવોર્ડ..2025 એનાયત કરવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ટીંબાગામ શાળાના મુખ્ય શિક્ષક સતિષકુમાર પુંજાભાઈ ને નેશનલ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મદદનીશ સચિવ પુલકિતભાઈ જોષી ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમ માં ગીર ફાઉન્ડેશન ના પ્રમુખ, માધવ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહી સૌ પર્યાવરણ પ્રેમી શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી.