સુરેન્દ્રનગર સર્કીટ હાઉસ ખાતે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
તા.08/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં સચિવશ્રીએ તમામ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ.રાજેન્દ્રકુમાર પટેલે પ્રભારી સચિવને વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાએ થયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી આપી હતી આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને પ્રિ-મોન્સુન તૈયારીઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવતા સચિવશ્રીએ પી.જી.વી.સી.એલ. વિભાગને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા, આરોગ્ય વિભાગને મેડિકલ સ્ટાફ, દવાનો સ્ટોક, બ્લડ બેંક અને એમ્બ્યુલન્સ પૂરતી સંખ્યામાં તૈનાત રાખવા, માર્ગ અને મકાન વિભાગને ડમ્પર, ટ્રક, જે.સી.બી. સહિતની આપદા સમયે ઉપયોગમાં લેનારી અન્ય મશીનરી તૈયાર રાખવા જણાવ્યું હતું વધુમાં, સચિવએ પુરવઠા વિભાગને અનાજનો જથ્થો, પોલીસ વિભાગને લોકોની સલામતી, સુરક્ષા સહિતની બાબતો પર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપાતકાલીન પરિસ્થિતિઓમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, શેલ્ટર હોમ, સ્વયંસેવકોની યાદી તૈયાર કરવા, અગત્યનાં સંપર્ક નંબર્સની યાદી અપડેટ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ આ સંદર્ભે બેઠક યોજી વિસ્તૃત કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.