SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી મોબાઇલ નં 6 કિ.રૂ.1,34,157 નો મુદ્દામાલ રીકવર કરી અરજદારને સોંપ્યા.

તા.04/04/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારત સરકારના સંચાર સાથી પોટલના CEIR મોડયુલમાં લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લામા વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ જે બાબતે ઈન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વી. બી. જાડેજા સાહેબ સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન મુજબ પીઆઈ શ્રી બી. સી. છત્રાલીયાસા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.હે.કો બિદુંબા પી ઝાલા નાઓની નિમણુંક કરવામા આવેલ તથા પો.કો. પરેશભાઈ કે સાકરીયા સહિત સમગ્ર ટીમ દ્વારા ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડ્યુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી કરાવી અરજદાર મૂળજીભાઈ દયારામ ભાઈ રહે, બાવળા અમદાવાદ, નારીયા ભરતભાઈ હરિભાઈ રહે, સુરેન્દ્રનગર, ધ્રુવ પટેલ રહે, સુરેન્દ્રનગર, ડુમાણીયા અજીતભાઈ અશોકભાઈ રહે, સુરેન્દ્રનગર, હિતેશભાઈ ખીમાભાઈ ડાભી રહે, સુરેન્દ્રનગર, શૈલેષકુમાર એન જોશી રહે, સુરેન્દ્રનગર વાળાઓના અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૬ જેની આશરે કિ.રૂ.૧,૩૪,૧૫૭ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યાં હતાં

Back to top button
error: Content is protected !!