વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-21 એપ્રિલ : રામ નવમીના પાવન અવસરે અંજારમાં અતિ ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથ યાત્રાને ગુજરાતની બીજી ભવ્ય રથયાત્રા તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. રથયાત્રામાં વિવિધ મહત્વના સ્થાનો પર સ્થાયી ફ્લોટ્સની ગોઠવણી કરવામાં આવે છે. જેમાં વિરલ યોગ સેન્ટરને શ્રેષ્ઠ સ્થાયી ફ્લોટના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું .રામ જીવન અને યોગને અપનાવતા બનીએ સૌ પંચ પરિવર્તન કર્તાના વિષય સાથે વિરલ યોગ સેન્ટર વિશાળ જનમેદનીનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું હતું. સતત ચાર કલાકથી વધુ સમય યોગ અને તલવારબાજીના વિવિધ પ્રયોગો દ્વારા વિરલ યોગ સેન્ટરના સાધકોએ લોકોનું મન મોહી લીધું હતું. પંચ પરિવર્તન હેઠળ સમરસતા, પરિવાર, સ્વદેશ, કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સંગીતમય યોગનૃત્ય દ્વારા લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા શ્રી રામની પ્રતિકૃતિવાળા શીલ્ડ અને રૂ.૧૧, ૦૦૦ના રોકડ ઈનામ સાથે વિરલ યોગ સેન્ટરને સન્માનિત કરવામાં આવ્યું હતું.