ધ્રાંગધ્રામાં ગેરકાયદે ખનીજ ભરેલ ત્રણ ટ્રક એક ડમ્પર કબ્જે લેવાયુ.
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના યુવાન પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે ગત રાત્રે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર હાથ ધરાયેલી કામગીરીમાં કોઈપણ જાતની પાસ-પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પર અને ત્રણ ટ્રક સહિત કુલ ચાર વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે આ વાહનો લાલ માટી અને પથ્થર ભરીને જતા હતા પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને ધાંગધ્રા માલવણ હાઈવે નજીક ગેરકાયદેસર ખનીજ વહનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં તેમણે પરમિટ વગર ખનીજનું વહન કરતા ચાર વાહનોને ઝડપી પાડ્યા હતા આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા પંથકમાં પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર ચોરી બેરોકટોક ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષમાં માત્ર એકાદ વાર દેખાડો કરવા પૂરતી રેડ કરવામાં આવે છે બીજી તરફ, ધ્રાંગધ્રા પોલીસ અને જિલ્લા આરટીઓ દ્વારા ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્ફરો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ માત્ર શરૂઆતની કાર્યવાહી બની રહેશે કે પછી તેઓ ખરેખર આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવામાં સફળ થશે સ્થાનિક લોકો આશા રાખી રહ્યા છે કે નવા અધિકારી આ દિશામાં નક્કર પગલાં લેશે અને ખનીજ ચોરીના દૂષણને ડામવામાં સફળ થશે હાલ તો ઝડપાયેલા ચારેય વાહનોને સેવાસદન ખાતે રાખવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાએ ફરી એકવાર ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ખનનનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.